Thursday, 19 September 2024

વિદાય સમારંભ- ધનસુખભાઈ

 આજ રોજ 19/ 9/ 2024 ને ગુરૂવારના રોજ શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ અજીતભાઈ ચૌધરીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો.. આ વિદાય સમારંભ દરમિયાન શાળાના શિક્ષક શ્રી ધનસુખભાઈ તરફથી ગુથલી પ્રાથમિક શાળામાં જે CRC કક્ષાનો વિજ્ઞાન મેળો - 2024 યોજાયો હતો. તેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામ તરીકે 1 પેડ અને  1પેન આપવામાં આવેલ છે..તેમનો ખૂબ ખૂબ આભાર.......
















Monday, 9 September 2024

🙏 શ્રી ગણેશ સ્થાપના & વિસર્જન 🙏

 આજ રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં સાંજના સમયે શ્રી ગણેશ નું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારબાદ તેની બાળકો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષકો એ ભાગ લીધો હતો...












શ્રી ગણેશ વિસર્જન






Saturday, 7 September 2024

શાળા પ્રવેતોત્સવ STICKER ૨૦૨૪-૨૫

 

ભારતીય ચલણી નાણા વિશે

 ભારતીય ચલણની નાણા પર કયા કયા ફોટા મૂકવામાં આવેલ છે ? 

તેની માહિતી આપતો અહીં vedio મૂકવામાં આવેલ છે..






Thursday, 5 September 2024

🖋 શિક્ષક દિનની ઉજવણી 🖋

 

આજરોજ આજ 5 સપ્ટેમ્બર 2024 ને ગુરુવારના રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ધોરણ 5 થી 8 બાળકોએ શિક્ષક બનીને અન્ય બાળકોનું શિક્ષણ કાર્ય કર્યું હતું .જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમાં શિક્ષક દિનનો શું મહત્વ છે, તેનો પણ સમજ આપવામાં આવી હતી .જે નીચે મુજબ છે..

 🖋  આજે શિક્ષક દિવસ  🖋

शि ક્ષક દિવસ એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ એક મહાન ફિલોસોફર અને વિદ્વાન હતા. તેમને ૧૯૫૪માં ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અને ૧૯૬૩માં બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટનું માનદ સભ્યપદ એનાયત કરવામાં આવ્યું હતું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સીમાં થયો હતો. પ્રખ્યાત શિક્ષક ડૉ. રાધાકૃષ્ણને કલકત્તા યુનિવર્સિટી અને ઑક્સફર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેઓ એક વિખ્યાત લેખક પણ હતા અને યુ.એસ. અને યુરોપમાં તેમના પ્રવચનો દ્વારા આંતરસાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે ડૉ. રાધાકૃષ્ણન ૧૯૬૨માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે પ સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવવાની વિનંતી સાથે થોડા વિદ્યાર્થીઓએ તેમની મુલાકાત લીધી હતી. જો કે, તેમણે સૂચન કર્યું કે વિદ્યાર્થીઓ આ દિવસ શિક્ષકોને સમર્પિત કરે. આમ ભારતમાં ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઈ.