Showing posts with label SCHOOL GALLERY. Show all posts
Showing posts with label SCHOOL GALLERY. Show all posts

Monday, 26 January 2026

પ્રજાસત્તાક દિન ઉજવણી - ૨૦૨૬

 પ્રજાસત્તાક દિન ઉજવણી અહેવાલ

તા. 26 જાન્યુઆરી 2026, સોમવારના રોજ લુહારના મુવાડા પ્રાથમિક શાળા, તાલુકો- બાલાસિનોર, જીલ્લો -મહીસાગર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સવારે 7:00 વાગ્યે પ્રભાતફેરી દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર ગામમાં દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો.

પ્રભાતફેરી દરમિયાન શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી સોલંકી વિક્રમસિંહ ના ઘરે બાળકોને ચા તથા બટાકા પૌવાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ બાળકોને પ્રસાદ સ્વરૂપે ચોકલેટ, સાકર, ગોળ વગેરે આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.પછી શાળામાં  ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગામમાં જન્મેલી દીકરીઓના વાલીઓને બોલાવી તેમને યાદગીરી રૂપે સ્મૃતિપત્ર આપવામાં આવ્યા હતા, જે દીકરી સન્માનનો સુંદર ઉદાહરણ બન્યો હતો.

રાષ્ટ્રધ્વજ સોલંકી સપનાબેન કનકસિંહ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં દેશભક્તિ ગીતો તથા મોબાઇલના ઉપયોગ અંગે જાગૃતિ લાવતું નાટક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું

સવારે 12:00 વાગ્યે કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવી. ત્યારબાદ શાળામાં મહિલા મિટિંગ યોજાઈ તેમજ વાલીઓ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રીતે લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ, દેશપ્રેમ અને સામાજિક જાગૃતિ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
















VEDIO....👇













Saturday, 24 January 2026

🪁 પતંગોત્સવ -2026 🪁

 અહેવાલ

વિષય : 13 જાન્યુઆરી 2026ના રોજ બાળકોને પતંગ વિતરણ અંગેનો અહેવાલ

ઉતરાયણ પર્વના પાવન અવસરે તારીખ 13 જાન્યુઆરી 2026 ના રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા,તા. બાલાસિનોર, જિ. મહીસાગર માં બાળકોને પતંગ વિતરણ કરવાની સુંદર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત તહેવારો પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ આનંદમય શૈક્ષણિક વાતાવરણ સર્જવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ ધોરણના બાળકોને રંગબેરંગી પતંગો વિતરણ કરવામાં આવ્યા.

શિક્ષકો દ્વારા બાળકોને ઉતરાયણ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પતંગ ઉડાવતી વખતે રાખવાની જરૂરી સાવચેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને પક્ષીઓની સુરક્ષા માટે હાનિકારક દોરીનો ઉપયોગ ન કરવા અને સ્વચ્છ ઉતરાયણ મનાવવાની સમજ આપવામાં આવી.બાળકોમાં આ પ્રવૃત્તિ પ્રત્યે ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો. પતંગ મળતાં બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ દેખાયો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

આ રીતે, લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ પતંગ વિતરણની પ્રવૃત્તિ બાળકો માટે આનંદદાયક તેમજ શૈક્ષણિક રીતે ઉપયોગી સાબિત થઈ.





👉👉🐦🪶 પક્ષીસુરક્ષા 🐦🪶માટે પતંગ 🪁દોરીના ગુંચળા સળગાવવાની પ્રવૃત્તિ👇

ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીના ગુંચળા ખુલ્લામાં પડવાથી પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શાળામાં પક્ષી સુરક્ષા માટે જાગૃતિરૂપ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને ઘરેથી પતંગ દોરીના ગુંચળા લાવવા માટે જણાવવામાં આવ્યું. નક્કી કરેલા દિવસે તમામ બાળકો દ્વારા લાવવામાં આવેલી દોરી એકત્રિત કરવામાં આવી. ત્યારબાદ શિક્ષકો દ્વારા પક્ષીઓને થતું નુકસાન, દોરીના જોખમો તથા તેને યોગ્ય રીતે નષ્ટ કરવાની જરૂરિયાત વિશે સમજ આપવામાં આવી.સુરક્ષા નિયમોનું પાલન કરી શિક્ષકોની દેખરેખ હેઠળ દોરીના ગુંચળાને નિર્ધારિત ખુલ્લા સ્થળે સળગાવીને નષ્ટ કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં પક્ષીપ્રેમ, પર્યાવરણ જાગૃતિ, જવાબદારી અને સામૂહિક કાર્યભાવના વિકસિત થઈ.

આ રીતે, પતંગ દોરીના ગુંચળા સળગાવવાની પ્રવૃત્તિ બાળકો માટે એક શૈક્ષણિક અને માનવતાભર્યો અનુભવ બની...




શૈક્ષણિક પ્રવાસ -2026

 શૈક્ષણિક પ્રવાસ અહેવાલ

શાળાનું નામ : લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા

તારીખ : ૬ જાન્યુઆરી ૨૦૨૬

વાર : મંગળવાર

પ્રવાસનો પ્રકાર : શૈક્ષણિક પ્રવાસ

લુહાર ના મુવાડા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા જ્ઞાનવર્ધનના હેતુસર તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવારના રોજ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો હાજર રહ્યા હતા.

આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરના વિવિધ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. પ્રવાસની શરૂઆત ફ્લાવર શોથી કરવામાં આવી, જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સુંદર ફૂલો, આકર્ષક ફૂલોથી બનાવેલ કલાત્મક રચનાઓ નિહાળી અને કુદરત પ્રત્યેનો પ્રેમ વિકસાવ્યો.

ત્યારબાદ વિદ્યાર્થીઓને અટલ બ્રિજની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં તેમને આધુનિક ઇજનેરી કળા તથા શહેરના વિકાસ વિશે માહિતી મળી. ત્યારપછી કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણી, પક્ષી અને સરિસૃપો જોઈને વિદ્યાર્થીઓમાં પ્રાણીજગત પ્રત્યે રસ અને જાગૃતિ વિકસી.

આ બાદ વિદ્યાર્થીઓને સાયન્સ સિટી લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને રોબોટિક્સ વિભાગમાં આધુનિક ટેકનોલોજી તથા રોબોટ્સના ઉપયોગ વિશે સમજાવવામાં આવ્યું. તેમજ એક્વેરિયમમાં વિવિધ જાતની માછલીઓ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ આનંદિત થયા અને સમુદ્રી જીવન વિશે નવી માહિતી મેળવી.

પ્રવાસના અંતે વિદ્યાર્થીઓએ ગાંધીનગર અક્ષરધામની મુલાકાત લીધી. અહીં ભારતીય સંસ્કૃતિ, કલા, ઇતિહાસ તથા આધ્યાત્મિક મૂલ્યો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું, જે પ્રવાસનો ખૂબ જ શૈક્ષણિક અને પ્રેરણાદાયક ભાગ રહ્યો.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ વર્તન રાખ્યું અને આનંદ સાથે નવી-નવી બાબતો શીખી. શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે યાદગાર તથા જ્ઞાનવર્ધક સાબિત થયો. શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને આયોજનને કારણે પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન થયો.
















Thursday, 5 September 2024

🖋 શિક્ષક દિનની ઉજવણી 🖋

 

આજરોજ આજ 5 સપ્ટેમ્બર 2024 ને ગુરુવારના રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ધોરણ 5 થી 8 બાળકોએ શિક્ષક બનીને અન્ય બાળકોનું શિક્ષણ કાર્ય કર્યું હતું .જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમાં શિક્ષક દિનનો શું મહત્વ છે, તેનો પણ સમજ આપવામાં આવી હતી .જે નીચે મુજબ છે..

 🖋  આજે શિક્ષક દિવસ  🖋

शि ક્ષક દિવસ એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ એક મહાન ફિલોસોફર અને વિદ્વાન હતા. તેમને ૧૯૫૪માં ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અને ૧૯૬૩માં બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટનું માનદ સભ્યપદ એનાયત કરવામાં આવ્યું હતું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ મદ્રાસ પ્રેસિડેન્સીમાં થયો હતો. પ્રખ્યાત શિક્ષક ડૉ. રાધાકૃષ્ણને કલકત્તા યુનિવર્સિટી અને ઑક્સફર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેઓ એક વિખ્યાત લેખક પણ હતા અને યુ.એસ. અને યુરોપમાં તેમના પ્રવચનો દ્વારા આંતરસાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે ડૉ. રાધાકૃષ્ણન ૧૯૬૨માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે પ સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવવાની વિનંતી સાથે થોડા વિદ્યાર્થીઓએ તેમની મુલાકાત લીધી હતી. જો કે, તેમણે સૂચન કર્યું કે વિદ્યાર્થીઓ આ દિવસ શિક્ષકોને સમર્પિત કરે. આમ ભારતમાં ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઈ.









Monday, 12 August 2024

તિરંગા યાત્રા

 આજ રોજ લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી..




Saturday, 10 August 2024

તિથિભોજન બાબત


લુહાર ના મુવાડા પ્રાથમિક શાળામાં તારીખ 10 /8 /2024 ને શનિવારના રોજ ગામના  દાતાશ્રી રાજુભાઈ નંદુભાઈ પંચાલ તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.. તે બદલ શાળા પરિવાર તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે....







Friday, 2 August 2024

તિથી ભોજન

 

આજ રોજ શાળાના બાળકોને શિક્ષકો દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું..